શુક્રવાર, 28 ડિસેમ્બર, 2007

'......તો શું થઈ ગયું?

રહી ગયાં ઘણાં કંસ-શકુનિ-દુર્યોધનો બાકી અહીં,
કૃષ્ણે કર્યું એક કાલિનાગનું દમન, તો શું થઈ ગયું?

થયું ચીર-હરણ દ્રૌપદીનું, સીતાની અગ્નિ-પરીક્ષા અહીં,
હરે કોઈ નર, કોઈ નારીનું સન્માન, તો શું થઈ ગયું?

આપે ઉજાસ, હરીને તિમિર, હો દિન કે રાત અહીં,
ઉગે છે સૂર્ય-ચંદ્ર, વીંધીને ગગન, તો શું થઈ ગયું?

મળે રતનો દાનવોને,છો પીવું પડે ઝહેર, શિવને જ અહીં,
લાખ પ્રયાસો પછી પણ,આવું જ હોય સમુદ્ર-મંથન,તો શું થઈ ગયું?

દીપ્તિ પટેલ 'શમા' ૨૦ નવેમ્બર, ૨૦૦૭.

3 ટિપ્પણીઓ:

Ketan Shah કહ્યું...

એકદમ સાચી વાત લખી છે.

અજ્ઞાત કહ્યું...

atyar na samay ni sachi vaat kari che
owsome one

pramodpatwa કહ્યું...

dipti....
kali yug ni asar tamari kavita ma kandari ne tame yogay j varnan karyu chhe...pramod