રહી ગયાં ઘણાં કંસ-શકુનિ-દુર્યોધનો બાકી અહીં,
કૃષ્ણે કર્યું એક કાલિનાગનું દમન, તો શું થઈ ગયું?
થયું ચીર-હરણ દ્રૌપદીનું, સીતાની અગ્નિ-પરીક્ષા અહીં,
હરે કોઈ નર, કોઈ નારીનું સન્માન, તો શું થઈ ગયું?
આપે ઉજાસ, હરીને તિમિર, હો દિન કે રાત અહીં,
ઉગે છે સૂર્ય-ચંદ્ર, વીંધીને ગગન, તો શું થઈ ગયું?
મળે રતનો દાનવોને,છો પીવું પડે ઝહેર, શિવને જ અહીં,
લાખ પ્રયાસો પછી પણ,આવું જ હોય સમુદ્ર-મંથન,તો શું થઈ ગયું?
દીપ્તિ પટેલ 'શમા' ૨૦ નવેમ્બર, ૨૦૦૭.
3 ટિપ્પણીઓ:
એકદમ સાચી વાત લખી છે.
atyar na samay ni sachi vaat kari che
owsome one
dipti....
kali yug ni asar tamari kavita ma kandari ne tame yogay j varnan karyu chhe...pramod
ટિપ્પણી પોસ્ટ કરો